એક નાનો બાળક નિયમિત શાળાએ જતો પણ અભ્યાસમાં નબળો હતો. શિક્ષકો એને સમજાવવાનો પ્રયાસ કરે પણ આ બાળક સમજવાને બદલે જાત જાતના સવાલો કરે. શિક્ષકો પણ આ વિદ્યાર્થીથી ખુબ કંટાળ્યા હતા.
એકદિવસ આ વિદ્યાર્થીના વર્ગશિક્ષકે એની મમ્મી ઉપર એક ચીઠ્ઠી લખીને કવરમાં પેક ઘરે મોકલાવી. વિદ્યાર્થી આ ચીઠ્ઠી લઇને ઘરે આવ્યો અને મમ્મીને ચીઠ્ઠી આપી. ચીઠ્ઠીમાં શિક્ષકે શું લખ્યુ છે એની વિદ્યાર્થીને કંઇ જ ખબર નહોતી આથી એને જાણવાની તાલાવેલી હતી. એણે મમ્મીને ચીઠ્ઠીમાં શું લખ્યું છે એ જોવા માટે વિનંતી કરી.
છોકરાની મમ્મીએ ચીઠ્ઠી ખોલી અને વાંચી. ચીઠ્ઠીમાં લખ્યુ હતુ ' આપનો દિકરો ગધેડો છે. એને કંઇ જ ખબર પડતી નથી. એને આ શાળામાંથી ઉઠાડી લો અને તમારી ઘરે જ રાખો ' દિકરા વિષે આવુ લખાણ વાંચીને માને ખુબ દુ:ખ થયુ. દિકરાએ પુછ્યુ, " મમ્મી શું લખ્યું છે મારા શિક્ષકે ? " મમ્મીએ એના દિકરાના માથા પર વહાલથી હાથ ફેરવતા કહ્યુ, " બેટા, તારા શિક્ષકે લખ્યુ છે કે તું ખુબ હોશીયાર છે અને તને કોઇ વધુ સારી શાળામાં અભ્યાસ માટે મુકવો જોઇએ."
છોકરાને મમ્મીની વાત સાંભળીને પોતાની જાત પર ગૌરવ થયુ. આ છોકરાને શાળામાંથી ઉઠાડીને બીજી શાળામાં બેસાડવામાં આવ્યો. મમ્મી ઘરે રોજ બાળકને પ્રોત્સાહન આપે અને મોટા-મોટા સપનાઓ બતાવે. બાળકની પ્રતિભા ધીમે ધીમે ખીલવા લાગી અને બીજા બધા વિદ્યાર્થીઓ કરતા એ જુદો પડવા લાગ્યો.
આ બાળક એટલે જેણે વિજળીના ગોળાની શોધ કરીને આપણને સૌને અંધારીયા યુગમાંથી મુક્તિ અપાવી એ મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસન. દુનિયામાં સૌથી વધુ વૈજ્ઞાનિક શોધો આ એડીસનના નામે નોંધાયેલી છે.
મિત્રો, બાળકોને હતોત્સાહિત કરવાને બદલે જો એને પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવે તો એનું પરિણામ હંમેશા જુદુ જ મળતું હોય છે. સંતાનોને ઉતારી પાડવાને બદલે એની ક્ષમતાઓને ખીલવવા માટેનો પ્રયાસ કરવો જોઇએ.
એકદિવસ આ વિદ્યાર્થીના વર્ગશિક્ષકે એની મમ્મી ઉપર એક ચીઠ્ઠી લખીને કવરમાં પેક ઘરે મોકલાવી. વિદ્યાર્થી આ ચીઠ્ઠી લઇને ઘરે આવ્યો અને મમ્મીને ચીઠ્ઠી આપી. ચીઠ્ઠીમાં શિક્ષકે શું લખ્યુ છે એની વિદ્યાર્થીને કંઇ જ ખબર નહોતી આથી એને જાણવાની તાલાવેલી હતી. એણે મમ્મીને ચીઠ્ઠીમાં શું લખ્યું છે એ જોવા માટે વિનંતી કરી.
છોકરાની મમ્મીએ ચીઠ્ઠી ખોલી અને વાંચી. ચીઠ્ઠીમાં લખ્યુ હતુ ' આપનો દિકરો ગધેડો છે. એને કંઇ જ ખબર પડતી નથી. એને આ શાળામાંથી ઉઠાડી લો અને તમારી ઘરે જ રાખો ' દિકરા વિષે આવુ લખાણ વાંચીને માને ખુબ દુ:ખ થયુ. દિકરાએ પુછ્યુ, " મમ્મી શું લખ્યું છે મારા શિક્ષકે ? " મમ્મીએ એના દિકરાના માથા પર વહાલથી હાથ ફેરવતા કહ્યુ, " બેટા, તારા શિક્ષકે લખ્યુ છે કે તું ખુબ હોશીયાર છે અને તને કોઇ વધુ સારી શાળામાં અભ્યાસ માટે મુકવો જોઇએ."
છોકરાને મમ્મીની વાત સાંભળીને પોતાની જાત પર ગૌરવ થયુ. આ છોકરાને શાળામાંથી ઉઠાડીને બીજી શાળામાં બેસાડવામાં આવ્યો. મમ્મી ઘરે રોજ બાળકને પ્રોત્સાહન આપે અને મોટા-મોટા સપનાઓ બતાવે. બાળકની પ્રતિભા ધીમે ધીમે ખીલવા લાગી અને બીજા બધા વિદ્યાર્થીઓ કરતા એ જુદો પડવા લાગ્યો.
આ બાળક એટલે જેણે વિજળીના ગોળાની શોધ કરીને આપણને સૌને અંધારીયા યુગમાંથી મુક્તિ અપાવી એ મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસન. દુનિયામાં સૌથી વધુ વૈજ્ઞાનિક શોધો આ એડીસનના નામે નોંધાયેલી છે.
મિત્રો, બાળકોને હતોત્સાહિત કરવાને બદલે જો એને પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવે તો એનું પરિણામ હંમેશા જુદુ જ મળતું હોય છે. સંતાનોને ઉતારી પાડવાને બદલે એની ક્ષમતાઓને ખીલવવા માટેનો પ્રયાસ કરવો જોઇએ.
No comments:
Post a Comment