Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Saturday 27 July 2013

    અકબર બીરબલ વાર્તા (ઈશ્વરના રૂપ)

     બાદશાહે એક વખત બીરબલને સવાલ કર્યો કે જો ઈશ્વર એક જ છે, તેના સિવાય કોઈ બીજાનું અસ્તિત્વ નથી તો પછી આટલા બધા દેવી-દેવતાઓનો શું અર્થ છે?

    બીરબલે દિવાને ખાસના પહેરા પર ઉભેલ એક સંતરીને બોલાવીને તેની પાઘડી તરફ ઈશારો કરતાં બાદશાહને પુછ્યું કે તે શું છે? અકબરે હસતાં જવાબ આપ્યો, પાઘડી!

    બીરબલે સંતરીને પાઘડી ખોલવા માટે કહ્યું... તેણે અચકાતા પોતાની પાઘડી ખોલી દિધી. બીરબલે તેણે કમરમાં બાંધવા માટે કહ્યું, સંતરીએ એવું કર્યું. પછી બીરબલે ફરીથી બાદશાહને પુછ્યું કે તે શું છે? અકબરે કહ્યું, કમરબંધ!પછી બીરબલે પોતાની પાઘડીને પોતાના ખભા પર મુકવા કહ્યું અને અકબરને પુછ્યું કે આ શું છે? અકબરે કહ્યું, ખેસ.બીરબલે તે વસ્ત્રને પોતાના હાથમાં લઈને પુછ્યું- પણ હકીકતમાં આ છે શું? અકબરે પણ પુછ્યું- શું છે? બીરબલે કહ્યું, કપડુ.
    ત્યારે બીરબલે કહ્યું- આ રીતે ભગવાન પણ એક જ છે, પરંતુ પોતાના ભક્તોને પોતાની ભાવનાને અનુસાર અલગ અલગ રૂપે દેખાઈ દે છે.
    આ ઉદાહરણને લીધે અકબરની નજરમાં બીરબલનું માન વધારે વધી ગયું.

    જીવનમાં ગુરૂનું મહત્વ


    શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , ગુરૂ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.
    મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.

    ધર્મ એટલે શું ?


    ઉત્તમ ધર્મના દસ અંગ છે-

    1. ક્ષમા :
    સહનશીલતા. ક્રોધને ઉત્પન્ન ન થવા દેશો. ક્રોધ ઉત્પન્ન થાય તો પોતાના વિવેકથી, નમ્રતાથી તેને વિફળ કરી દો. પોતાની અંદર ક્રોધનું કારણ શોધવું, ક્રોધથી થનાર અનર્થોનો વિચારવા, બીજાઓની બેસમજી પર ધ્યાન ન આપવું. ક્ષમાના ગુણોનું ચિંતન કરવું.

    2. માર્દવ :
    ચિત્તમાં મૃદુતા અને વ્યવહારમાં નમ્રતા હોવી.

    3. આર્દવ :
    ભાવની શુદ્ધતા. જે વિચારો તે કહો. જે કહો તે કરો.

    4. શૌચ:
    મનમાં કોઈ પણ પ્રકારનો લોભ ન કરવો. આસક્તિ ન રાખવી. શરીરની પણ નહિ.

    5. સત્ય :
    યથાર્થ બોલવું. હિતકારી બોલવું. થોડુ બોલવું.

    6. સંયમ :
    મન, વચન અને શરીરને કાબુમાં રાખવું.

    7. તપ :
    મલીન વૃત્તિઓને દૂર કરવા માટે જે બળ જોઈએ તેને માટે તપસ્યા કરો.

    8. ત્યાગ:
    પાત્રને જ્ઞાન, અભય, આહાર, ઔષધિ વગેરે સદવસ્તુઓ આપવી.

    9. અકિંચનતા :
    કોઈ પણ વસ્તુમાં મમતા ન રાખવી. અપરિગ્રહ સ્વીકાર કરવો.

    10. બ્રહ્મચર્ય :
    સદગુણોનો અભ્યાસ કરવો અને પોતાને પવિત્ર રાખવા.

    ઓછુ બોલો પરંતુ યોગ્ય બોલો

    પ્રકૃતિએ આપણને કાન તો બે આપ્યા છે પરંતુ જીભ એક જ આપી છે જે તે વાતનો સંકેત કરે છે કે આપણે વધારે સાંભળવું જોઈએ અને ઓછુ બોલવું જોઈએ. જેવી રીતે જે ઓછુ પણ સારૂ ખાવુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બુદ્ધિમાનીનું કામ છે તે જ રીતે જો તમે કોઈને સાર ન કહી શકતાં હોય તો તમારે કોઈને ખરાબ કહેવાનો પણ અધિકાર નથી. આમ પણ વધારે ખાવુ અને વધારે બોલવું તે મૂર્ખતાની નિશાની છે.

    સમજી વિચારીને ન બોલનાર અને વધારે પડતો બકવાસ કરનાર, યોગ્ય વિચાર કર્યા વિના બોલનાર, જે વિષયનું જ્ઞાન ન હોય તે વિષય પ્રત્યે પણ બોલનાર, ખોટુ બોલનાર ખાસ કરીને લજ્જાને પાત્ર હોય છે. એટલા માટે મનુષ્યને સમજી વિચારીને બોલવું જોઈએ અને જેટલી આવશ્યકતા હોય તેટલુ જ બોલવું જોઈએ.

    જેવી રીતે કે કોયલ અને કાગડો બંને દેખાવે તો એક જ હોય છે પરંતુ જ્યાર સુધી બોલે નહિ ત્યાર સુધી કંઈ ખબર નથી પડતી કે કોયલ છે કે કાગડો. એટલે કે જ્યાર સુધી કોઈ વાતચીત ન કરે બોલે નહિ ત્યાર સુધી તે વ્યક્તિમાં સારા ગુણ છે કે ખરાબ તેની કંઈ સમજ પડતી નથી. ક્યાંય ક્યાંય એવા માણસો પણ હોય છે કે જે ક્યારેય બોલતા નથી અને બોલે પણ છે તો સમજી વિચારીને. આવા સ્વભાવવાળા માણસોને લજ્જીત નથી થવું પડતું અને પછતાવું પણ નથી પડતું. એટલા માટે ઓછુ અને સારૂ બોલવું જ યોગ્ય છે. તેને માટે એક સત્ય એક લઘુવાર્તાના રૂપે નીચે આપેલ છે.

    એક ઉચ્ચ શિક્ષિત પરિવારનો યુવક ખુબ જ ઓછુ બોલતો હતો અને સવારે પણ ચુપ જ રહેતો હતો. કોઈએ તેને પુછ્યું કે તુ ચુપ કેમ રહે છે તો તેણે જવાબ આપ્યો કે ખોટુ અને ખરાબ બોલવા કરતાં ન બોલવુ સારૂ. આપણે જે કઈ બોલીએ છીએ તે હંમેશ માટે વ્યોમમાં અંકિત થઈ જાય છે. કાગડાની જેમ કા કા કરતાં તો ચુપ રહેવું સારૂ.

    નીતિમાં પણ કહ્યું છે કે- મૂર્ખનું બળ ચુપ રહેવામાં જ છે. અને બુદ્ધિમાન માટે આ શ્રેષ્ઠ અને આવશ્યક ગુણ છે. ગાંધીજીએ સાચુ જ કહ્યું છે કે ન ખરાબ સાંભળો, ન ખરાબ બોલો અને ન ખરાબ જુઓ. મૌન રહેવુ તે મૂર્ખનું બળ તો છે જ પણ સાથે સાથે વિદ્વાનનું આભુષણ પણ છે.

    Thursday 25 July 2013

    બાળપણ એક મધુર સ્મૃતી


    “યે દોલત ભી લેલો,
    યે શોહરત ભી લેલો,
    ભલે છીન લો મુજસે મેરી જવાની,
    મગર મુજકો લૌટા દો બચપન કા સાવન
    વો કાગઝ કી કશ્તી વો બારીશ કા પાની”




    બાળપણ – એક એવી મીઠી મધુર યાજેજીવનના ગમે તેવા કપરા સમયમાં, તડકા છાયામાં, સુખ દુઃખમાં વ્યક્તિની સાથે રહે છે.વ્યક્તિ કઈ પણ ભૂલી શકે છે. બસ નથી ભૂલાતું તો આ નિર્દોષ, અને નિ:સ્વાર્થ બાળપણ.આ એક જ તો એ સમય છે જેનીસાથે જીવનની અમુલ્ય યાદો જોડાયેલી હોય છે અને એ કાયમી આપણી સાથે જ રહે છે.
    સ્વદેશમાં ભણીને વિદેશ ગયેલો છોકરો જ્યાં તે લાખો કમાતો હોય છતાં પોતાના ઘરની આસપાસ નાની નાની ગલીઓમાં રમેલી એ રમતો ક્યારેય ભૂલતો નથી. દીકરી વહાલનો દરિયો, જે પરણીને પોતાના પિયર થી હજારો માઈલ દુર ક્યાંક બેઠી હોય તો પણ એને ઘરનો એકે એક ખૂણો યાદ રહે છે. એ ક્યારેય ભૂલાતું નથી. સિત્તેર વર્ષના ડોશીમાં ને પણ એના બાળપણની એક નાની અમથી વાત યાદ આવી જાય તો પણ એના ચહેરા પર એક નિર્દોષ હાસ્ય રેલાય જતું હોય છે. છે કે નહિ? બાળપણ વસ્તુ જ એવી છે!!!
    મોટા ભાગે આપણે વાતની શરૂઆત કરતા કહેતા હોઈએ છીએ કે, “ હું જયારે નાનો હતો ને….” કે “નાની હતી ને….” એનો મતલબ એ કે વ્યક્તિ ગમે ત્યાં જાય, ગમે તે કરે, એનું બાળપણ એની ચામડી બનીને એની સાથે રહે છે. આપણા પપ્પા મમ્મી ને હજી એ યાદ હશે કે જયારે એ નાના હતા ત્યારે પાંચ પૈસા ની લાણી મળતી. એને એ પણ યાદ હશે કે એ સ્કુલમાં કેવા કલરની પાટી લઈને જાતા અને એમના શિક્ષક એમને દર શનિવારે કઈ પ્રવૃત્તિ કરાવતા. આજ વાત કદાચ તમે તમારા દાદા દાદી કે નાના નાની પૂછશો તો એમને પણ અક્ષરસ: યાદ હશે અને મને ને તમેન આજથી વર્ષો પછી કોક પૂછશે તો આપણને પણ યાદ જ હશે.  એવું તો શું છે આ બાળપણમાં? જવાબ દેવો સરળ નથી.
    વરસાદની ઋતુ આવે એટલે ઉનાળામાં ખાધેલા બરફના ગોલાની વધેલી સળીઓ માંથી માંડવો બનાવી એના પર મમ્મીને પૂછ્યા વગર લીધેલા પ્લાસ્ટિકના મોટા પાથરણા માંથી નાનો કટકો કાપી પાથરવામાં જે મજા હતી, એવી મજા હવે ક્યાં લેવા જાવી?
    દિવાળીની પહેલા ઘરમાં ચાલતી સફાઇઓમાં ક્યારેક ભૂલે-ચુકે બાળપણના જુના black and white  ફોટા જો હાથ માં આવી જાય તો બધા સફાઈકામમાં ઈન્ટરવલ પાડી એ ફોટા જોવા બેસી જાતા હોય છે, અને એ ફોટામાં જે નિર્દોષતા જોવા મળે, જે આનંદ થાય છે એ અમુલ્ય હોય છે. માણસના જીવનનો સૌથી મહત્વનો તબ્બકો જો કોઈ હોય તો એ બાળપણ જ છે. સંસારના બધા બંધનોથી અજાણ એટલે બાળપણ, નાત જાતના ભેદભાવો થી અજાણ એટલે બાળપણ, રાગ, દ્વેષ, કુળ, ઉચ્ નીચ, કાળા ગોરા, કામ, ક્રોધ, વાદ, અહંકાર વગેરે થી પણ અજાણ એટલે બાળપણ.
    ડ્રોઇંગબુકમાં મીણીયા કલર પુરવા, ચોપડીના પુઠ્ઠાપર બોલપેન માંથી રેલાય ગયેલી સાહી ના ડાઘા, દફતરના તૂટેલા નાકાંમાં સેડા વાળા રૂમાલની ગાંઠ, સવારે ઓઢી દિધેલા અને સાંજે તહેસ નહેસ થઇ ગયેલા વાળ, નોટમાં આડાઅવડા અક્ષરે લખેલો ગાયનો નિબંધ, અડધું પડધું ખાઈને ધીરે અવાજે પૂછાયેલો પ્રશ્ન “મમ્મી હવે રમવા જાવ????” આ બધું એટલે પણ બાળપણ, ટીચર જ સર્વસ્વ એવું દ્રઢ પણે માનવું અને બીજા કોઈનું કઈ ન માનવું એ બાળપણ, કેલેન્ડરના તારીખના પાના કોઈ ને પણ પૂછ્યા વગર ફાડીને એમાંથી હોળી બનાવી વરસાદના પાણીમાં ફેરવે એનું નામ બાળપણ. દરેક વસ્તુને પ્રશ્નાર્થની નજરે જોવે એ પણ બાળપણ અને સ્વાર્થ વગરનું આગ્રહ એટલે બાળપણ. નાફ્ફા વગર નો વેપાર અને ખોટ વગરનો ધંધો એટલે બાળપણ. કાર્ટુન ચેનલ, થાર્મોકોલ્નુંન ઘર, લાઇટ વાળી ગાડી, ગુડ્ડી ગુડ્ડાની શાદી એટલે પણ બાળપણ. “ચાલો હું ભણાવું બાકીના બધા ભણો” એ પણ બાળપણ, “ચાલો હું નોકરીએ જાવ ને તારે રસોઈ કરવાની હો….” હા એ પણ બાળપણ. નદી પર્વત, અંધારો પાડો, સ્ટેચ્યુ અને ગો એટલે બાળપણ, મમ્મી પપ્પાને તોતળા અવાજમાં ફરિયાદ એટલે પણ બાળપણ અને દાદી નાનીની જૂની સાડી માંથી કાપકૂપ કરી બનતી નવી નાની સાડી એટલે પણ બાળપણ. રવિવારની રાહ ને સોમવારે સ્કુલ જવાની ના એટલે બાળપણ, ક્રીમ વાળા બિસ્કીટ એટલે દુનિયાની સર્વશ્રેષ્ઠ વાનગી એવી માન્યતા એટલે પણ બાળપણ. ગારા વાળા પાણીમાં મોજ થી લેવાતા છબછબિયાં એટલે બાળપણ અને તડકામાં ભમરડાંની રમત એટલે પણ બાળપણ. દિવાળી કે ઇદના દિવસે સૌથી નાના બુટ મોજા કે મોજડી એટલે બાળપણ અને ઘરના કોઈક એક ખૂણે ઢગલાંબંધ પડેલા જુના-નવા, નાના-મોટા, રંગબેરંગી રમકડા એટલે પણ બાળપણ, ગાલના ગોટા પર સરકી પડતા બોર બોર જેવડા આંસુડા એટલે બાળપણ… મુઠ્ઠી ભરીને ખવાતી મુખવાસ એટલે બાળપણ અને આઈસ્ક્રીમ ખાઈ કપ સાચવી રાખવા એટલે પણ બાળપણ. ઘર-ઘર એટલે બાળપણ અને “હું માલા મમ્મીને કઈ દવ જો…….” એટલે પણ બાળપણ. તરબુચના બી ની રમત એટલે બાળપણ અને કપડા ધોવાનો ધોકો બને બેટ એટલે પણ બાળપણ. નાની નાની ચોટલીમાં ટચુકડાં બોરિયાની જોડી એટલે કે બાળપણ, મેળા માંથી ખરીદેલી લાલ કલરની બંદુક એટલે બાળપણ, જેના માટે થુંક એટલે ફેવિકોલ એ બાળપણ, કોઈપણ પ્રકારની કૃત્રિમતા વગરનું જીવન એટલે બાળપણ. પડોશીના ઘરના કાંચ તોડે ઈ બાળપણ, પ્લાસ્ટિકના જબલા માંથી પેરાશુટ બનાવે એ બાળપણ, રેતીના ઘર, પ્લાસ્ટીકના ચુલા, ગ્લુકોઝના બિસ્કીટની ચા અને મમરાના ભાત એટલે બાળપણ. વેશભૂષાના દિવસે કાજળ કે ચુનાથી બનાવેલી મૂછ એટલે પણ બાળપણ, સ્વાર્થની ગેરહાજરી અને નીર્દોસ્તાની પરાકાષ્ટા એટલે બાળપણ, પગાર વધારા કે લાભની આશા વગર કરાતું સોપ્યા વગરનું કામ એટલે બાળપણ. પ્રેમનો દરિયો ને વહાલની ગેલેક્સી એટલે બાળપણ. જેના માટે રાજા-રંક સમાન એ બાળપણ અને જેના માટે એના ઘરનું આંગણું જ આખું વિશ્વ એનું નામ બાળપણ…..
    એક વાર જઈ પાછુ ક્યારેય ન આવે તેવું છે આ બાળપણ…
    કદાચ હું લખતા લખતા થાકી જાવ અને તમે વાંચતા વાંચતા, છતાં જેનું વર્ણન પૂરું ન થાય એ બાળપણ….
    એક વાર આ બાળપણની નિર્દોષતા ચાલી જાય છે પછી પાછી ક્યારેય આવતી નથી. માણસ જીવન પર્યંત બાળક બની ને રહી શકતો નથી. આપણે ઘણી વખત વિચાર કરીએ છીએ કે જો મને મારું બાળપણ પાછું મળી જાય તો કેટલુ સારું!!!! પણ અફસોસ યાદ સિવાય આપણી પાસે કઈ રેહતું નથી….જો માનવી જીવન ભર કદાચ એક બાળક બનીને રહી શકત તો કુછ ઓર બાત હોતી!!!!
    બધું ગુમાવી દેતા પણ બાળપણ પાછુ મળતું નથી અને એટલા માટે માણસ ઘણી વખત બાળપણને કૈઈક આવી રીતે યાદ કરે છે…..
    “યે દોલત ભી લેલો,
    યે શોહરત ભી લેલો,
    ભલે છીન લો મુજસે મેરી જવાની,
    મગર મુજકો લૌટા દો બચપન કા સાવન
    વો કાગઝ કી કશ્તી વો બારીશ કા પાની”

    બાળપણ વિષે

    આજના બાળકોનુ બાળપણ જોઈને દુ:ખ થાય છે. આપણુ બાળપણ યાદ કરીએ તો શુ મસ્તી હતી. મદારીનો ખેલ, બુઢ્ઢિના બાલ, બરફનો ગોળો, સિતોડિયાની રમત, ચચૂકાની બાજી આજે પણ યાદ કરીએ તો એક અનોખો રોમાંચ જાગી જાય છે. શુ આપણા બાળકો પાસે છે આવુ બાળપણ ?

    આજે તો મોટાભાગના પતિ-પત્ની બંને કમાતા હોવાથી બાળકો ચાર દિવાલોમાં કેદ થઈ ગયા છે. મદારી વિશે તો તેમને માત્ર પુસ્તકમાં જ વાચ્યુ છે. રમતોમાં વીડિયોગેમ અને ટીવી સિવાય તેમની પાસે કશુ જ નથી. આઉટડોર ગેમ્સ રમતા બાળકો આજે ઘણા ઓછા જોવા મળે છે. બાળકોનુ બાળપણ પાછુ લાવવા માટે તમારે જ પ્રયત્નો કરવા પડશે.

    તેમને પ્રાણીસંગ્રહાલયથી લઈને પાર્કમાં ફરવા લઈ જવાનુ શરૂ કરી દો. રમવાથી રોકશો નહી. આસપાસના નાના કામોમાં તેમની મદદ લો. તેમને વૃક્ષ અને છોડનુ મહત્વ સમજાવો. તેમને ગાર્ડનિંગ કરતા શીખવાડો. પછી જુઓ કેવા હસતા ખીલતા ફૂલોની જેમ તેમના ચહેરા ખીલી ઉઠશે.
    ,
    સમજવા જેવી ૧૨ વાતો :

    [1] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !

    [2] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.

    [3] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.

    [4] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

    [5] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !

    [6] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !

    [7] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.

    [9] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !

    [10] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !

    [11] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.

    [12] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી !
    આ દુનિયા માં વસેલા લોકોની અલગ કહાણી છે-

    જો કોઈનો વિશ્વાસ તોડો, તો એ રડે છે;
    અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે…!!!

    જીવન શું છે…?
    સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !!!

    જયારે દીવાલો માં તિરાડો પડે છે,
    ત્યારે દીવાલો પડી જાય છે;
    જયારે સંબંધો માં તિરાડે પડે છે,
    ત્યારે દીવાલો બની જાય છે.…!!!

    નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા, કે
    “યાદ રાખતા શીખો”.
    અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે
    “ભૂલતા શીખો…”

    જીવનભરની વધુ પડતી કમાણીની આ જ છે
    યાત્રા,
    ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજન માં ડાયેટ
    ખાખરા…!!!

    સ્ત્રી અને પુરુષ………

    મીત્રો, તમે જો આ લેખ સાથે સહમત હોવ તો જરુર લાઇક કરજો..........................................................

    વાચકોને જણાવવાનુ કે આ લેખ વાંચીને એમ ધારણા ન બાંધવી કે આ લેખ સ્ત્રીઓની લાગણી દુભવવાનો છે, આ લેખ ફક્ત પુરુષ ની લાગણી ને વાચા આપવાનો છે.

    અત્યાર સુધી આપણે સ્ત્રી દ્વારા થતા માર્કેટીંગ વિશે સાંભ્ળ્યુ છે પણ સ્ત્રી ઓના માર્કેટીંગ વિશે ? જ્યારે પણ બે જાતીઓ ની વાત આવે છે ત્યારે હમેશા સ્ત્રી ઓને સારી ચીતરવામા આવે છે અને પુરુષોને ખરાબ, હમેશા સ્ત્રીઓનો બચાવ કરવામા આવે છે એ જાણ્યા વગર કે ખરેખર ગુનેગાર કોણ છે. હમેશા એવુ જ જતાવવા મા આવે છે કે આજ ની સ્ત્રી સારી જ છે અને પુરુષો ખરાબ, દર વખતે પુરુષો જ સ્ત્રી ઓનો લાભ લે છે, જાણે ક્યારેય સ્ત્રી ઓ પુરુષો નો લાભ જ નથી લેતી.

    આ સત્ય નથી આ વાત બન્ને ને બરાબર લાગુ પડે છે જેટલી પુરુષોને ઍટલી જ સ્ત્રીઓને

    જાહેર વ્યવસ્થા ઓની વાત આવે ત્યારે સ્ત્રીઓને પડતી અગવડ્તા ની જ વાતો થતી હોય છે જેમ કે બસ મા કે ટ્રેન મા જ્યારે પણ અગવડતા ની વાત આવે ત્યારે પણ એજ જાહેરાત થતી હોય છે કે બધી અગવડતા સ્ત્રીઓને જ પડે છે પુરુષોને કોઇ અગવડ નથી પડતી નથી. જાહેર મા જો પુરુષ થી સ્ત્રી ને ધક્કો લાગી જાય તો પુરુષ નુ intention ખરાબ અને સ્ત્રી થી પુરુષ ને ધક્કો લાગી જાય તો સ્ત્રી ણિ મજબુરી.

    જ્યારે પણ પુરુષ અને સ્ત્રીઓની સમાનતાની વાત આવે છે ત્યારે હમેશા અવુ જતાવવા મા આવે છે કે હમેશા સ્ત્રીઓને અન્યાય કરવા મા આવે છે પુરુષોને ક્યારેય નહી. જ્યારે પણ કોઇ ગુના મા પુરુષ અને સ્ત્રી સાથે સંડોવાય છે ત્યારે ફક્ત પુરુષ ને જ ગુનેગાર ઠેરવવા મા આવે છે. અને ઘણી વખત સજા પણ એને જ કરવામા આવે છે ભલે ને તેમા સ્ત્રી અને પુરુષ અને સ્ત્રી સરખી ભાગીદાર હોય.

    હમેશા એમ જ જાહેરાત થતી હોય છે કે પુરુષો દ્વારા જ સ્ત્રીઓ પર અત્દ્વાયાચાર થાય છે , સ્ત્રી ઓ દ્વારા કયારેય પુરુષ પર અત્યાચાર નથી થતા. હા શારિરીક અત્યાચાર ની વાત થાય ત્યારે કદાચ આ વાત સાચી હોઈ શકે પણ માનસિક અત્યાચાર ની વાત આવે ત્યારે આ વાત હમેશા સાચી નથી હોતી.

    કહે છે કે જ્યારે ઘર અને પરિવાર ની વાત આવે છે ત્યારે ફક્ત સ્ત્રી ઓજ ઘર અને પરિવાર માટે ભોગ આપે છે, પુરુષો કોઇ ભોગ જ નથી આપતા. સ્ત્રી જ સંપુર્ણ ભોગ આપે છે પતિ ને સંભાળવા, છોકરા ઓ ને સંભાળવા, પરિવાર ને સંભાળવા વગેરે (અને આ વાત સાચી પણ છે),આ માટે જ સ્ત્રીઓને પરિવાર મા જે સ્થાન મળે છે તે પુરુષ ને નથી મળતુ. સ્ત્રી (મા) ને ભગવાન નો દરજ્જો આપવામા આવ્યો છે. સ્ત્રી ને ઘર નિ રાણી કહેવાય છે.

    પરંતુ સામે છેડે એ પણ સત્ય છે કે એ જ પરિવાર ને સંભાળવા માટે પરિવાર ની આર્થીક જરુરીયાત માટે પુરુષો એ પણ ઘણો ભોગ આપવો પડે છે અને આપે છે જેમ કે આખો દિવસ ઘર ની બહાર રહેવુ, ખાવા પિવા ના ઠેકાણા નહી, ઘરે પરત ફરવાનો નિયત સમય નહી, પરિવાર સાથે સમય ન ગાળી શકે.ને તેની માટે જ્યારે પિતા ને ફક્ત બાળક ના નામ પાછળ પોતાનુ નામ લગાડવાનો હક.

    Domestic Violence ની વાત આવે ત્યારે પણ વાંક હમેશા પુરુષો નો જ કાઢવા મા આવે છે. જાણે કે સ્ત્રી ઓ નો ક્યાઅરેય વાંક જ ન હોય. પણ ત્યારે એ યાદ અપાવવુ જરુરી રહેશે કે Domestic Violence મા મોટામા મોટુ કોઇ ગુનેગાર હોય તો એ સ્ત્રી જ હોય છે સાસુ ના સ્વરુપ મા. In fact અહિયા જો કોઈ નો મરો થતો હોય તો એ પુરુષ નો છે જો મા ની સાઇડ લેશે તો કહેશે કે માવડીયો છે ( પુરુષ શા માટે મા નો પક્ષ ન લે જેણે એન જન્મ આપ્યો છે એનુ પાલન પોષણ કર્યુ છે) અને વહુ નો પક્ષ લેશે તો કહેશે કે દિકરો વહુ ઘેલો થઈ ગયો છે ( જેની સાથે એણે સમગ્ર જીવન વિતાવવાનુ છે જે એની અર્ધાંગીની છે. અહિયા બન્ને તરફ આક્ષેપ કરનાર સ્ત્રી જ છે. તમે કયારેય સાંભળ્યુ છે કે સસરા અને જમાઇ ની લડાઇ મા વહુ નો મરો થયો હોય.

    Office ની વાત આવે ત્યારે પણ પુરુષો પર સ્ત્રી ઓના શોષ્ણ આક્ષેપ થતો હોય છે, પરંતુ ક્યારેય કોઈ એ એમ નથી વિચાર્યુ કે આનાથી ઉલ્ટુ પણ થતુ હશે પુરુષો ને ખોટા ભ્રમ મા રાખી ને સ્ત્રી ઓ પોતાના કામ કઢાવી લેતી હોય છે.

    આજ ની સ્ત્રી ને મન આ બધુ ગૌણ છે કારણ કે આજે દરેક વાત ને પૈસા ના માપદંડ થી માપવા મા આવે છે. થોડા સમય પહેલા છાપા મા એક લેખ વાંચ્યો હતો અને તેમા સ્ત્રી સવાર થી માંડી ને સાંજ સુધી મા રાત સુધી મા જેટલા કામ કરે છે તે માટે તેને ઍટલુ મહેનતાણુ મળવુ જોઈયે અને આમા દરેક કામ ની યાદી હતી yes A to Z. પરંતુ એ જ લેખ મા એ ન્હોતુ જણાવવા મા આવ્યુ કે આખા દિવસ મા પુરુષ જે કામ કરે છે અને જે આવક રળે છે તે પરિવાર પાછળ ખર્ચે છે અને તેને મળે છે શુ ? થોડાક પૈસા પોતાની મેળે ખર્ચવાનો હક બિજુ કઈ……..

    સ્ત્રી અને પુરુષ બન્ને પરિવાર ના આધાર સ્તંભ છે અને ભારતીય પરંપરા પ્રમાણે બન્ને ને તેમની શારીરીક અને માનસીક તાકત પ્રમાણે કાર્ય આપવા મા આવ્યા છે અને ખટરાગ ત્યારે શરુ થાય છે જ્યારે એક વ્યક્તિ બીજાના કર્ય ક્ષેત્ર મા દખલ કરવાનુ શરુ કરે છે.

    પરંતુ આ સમગ્ર સમસ્યા નુ મુળ છે મુડીવાદ જ્યા દરેક ચિજ ને પૈસા થી જ માપવા મા આવે છે ……..પરંતુ એ વિશે ફરિ ક્યારેક વાત.........

    લગ્ન સમારંભ – ગુજરાતી ઓ ના અને અન્ય જ્ઞાતી ના………………

             થોડા સમય પહેલા એક મિત્ર ની લગ્ન ની કંકોત્રી મળી એમા લખ્યુ હતુ આપ શ્રી , હુ તો સમજી ગયો કે આમંત્રણ મને એકલાને છે અને મને અજુગતુ પણ ન લાગ્યુ કારણ કે આપણા ગુજરાતી ઓ મા આ બાબત સમાન્ય છે. પરંતુ અમારા ફ્રેન્ડ સર્કલ મા ઘણા ફ્રેન્ડ્સ છે જે ગુજરાતી નથી તેમને આ બાબત જરા અજુગતી લાગી. ત્યારે મે એમને સમજાવ્યુ કે ખરી બાબત એમ છે કે હોસ્ટ ( યજમાન ) વધારે ને વધારે કુટુંબ ને આમંત્રીત કરી શકે માટે આ વ્યવસ્થા છે. અને તેઓ સમજી પણ ગયા.

    પરંતુ એમને અને મને પણ આઘાત ત્યારે લાગ્યો કે અમે જ્યારે જમણ્વાર મા જે ભપકો જોયો અને જે પ્રમાણે જમણવાર હતો તેના પર થી અમ્દાજ આવતો હતો કે એક વ્યકતી નિ ડીશ પાછળ ઓછા મા ઓછો ખરચ ૭૦૦ થી ૮૦૦ રુપીયા નો હશે. ત્યારે મને મારા મિત્રો કહેઅવા લગ્યા કે યાર તુમ તો ક્યા બોલ રહે થે કી ખરચ બચાને કે લિયે એક જન કો ઈન્વાઈટ કિયા જાતા હે પર યહા તો એક ડિશ પર ૭૦૦ સે ૮૦૦ કા ખરચા હે ઔર જિસ હિસાબ સે ડેકોરશન કિયા હે ઉસ હિસાબ સે તો બહોત ખર્ચા હુઆ રહેગા ?

    અને મને પણ વાત સાચી લાગી કે જ્યારે આટલો ખરચ કર્યો છે તો તેઓ સહ કુટંબ પણ આમત્રીત કરી શક્યા હોત અને જે ખરચ ડીશ ના અને ભપકા પાછળ કર્યો હતો તેની જગ્યા એ સાદુ જમણવાર રાખી ને બધાને આમંત્રિત કરી શકાય.

    જે વસ્તુ મે મારી અન્ય જ્ઞાતી ના મિત્રો મા જોઈ છે અને આ ફક્ત એક જ અન્ય જ્ઞાતી ની વાત નથી એ ભલે ને મહારાસ્ટ્રીયન હોય , મદ્રાસી હોય , કેથલીક હોય કે મુસ્લીમ હોય ( મારા મિત્ર વર્તુળ મા દરેક જણ છે અને દરેક ના પ્રસંગે મને સહ્કુટુંબ આમંત્રણ મળ્યુ છે અને દરેક મિત્રો એ પ્રસંગ ને તેમની કેપેસીટી અનુસાર સાચ્વ્યો પણ છે.

    તો શુ મિત્રો આપણે એટલુ ન કરી શકી એ કે જમણ્વાર નો ખોટૉ ભપકો દુર કરી ને કુટુંબ ની દરેક વ્યક્તિ તેમ સામેલ થઈ શકે તે માટે દરેક ને આમંત્રીત કરીએ ?

    જીવન ની મોહ માયા

            એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.’ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.’

    મુલ્લા કંઈ બોલવાને બદલે એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા. એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’

    મુલ્લા, ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો. તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’

    આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે. આવું શા માટે?

    એટલે હવે પછી જ્યારે મૂડ સારો ન હોય ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે? કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’

    આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી… મારી પાસે આ નથી… મારી પાસે તે નથી…’ એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.

    જેમ કે, આવો સરસ મજાનો લેખ તમે ઓનલાઇન વાંચી શકો છો તેના પરથી બે મહત્વની બાબત સાબિત થાય છે- (૧) તમે ગરીબ નથી. કોન્ગ્રેટ્સ. (૨) તમે શાંતિથી બેસીને વાંચી શકો છો મતલબ કે તમે અત્યંત માંદા નથી.

    ઔર જીને કો ક્યા ચાહિયે? જેના વિના એક મિનિટ પણ ન જીવી શકાય એવો ઓક્સિજન હવામાં હાજર છે. જેના વિના ટકી ન શકાય એવો ખોરાક પેદા કરવા માટે જરૂરી એવું ચોમાસું આ વર્ષે બહુ સારું રહ્યું. આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો. તો પછી છોડો ફરિયાદો અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે જીવન મસ્ત છે. એન્જોય.

    મન જીત્યું, તેણે જગત જીત્યું

    આમ તો માણસ માત્ર મુઠી જેવડું પેટ ભરવાની વેઠમાં જ જીવનભર ઝઝૂમતો રહે છે. પણ સારી રીતે જીવવા માટે રોટી ઉપરાંત કપડાં, મકાન, ધન, ધંધો પણ એટલાં જ જરૂરી છે. આગળ વિચારીએ તો તંદુરસ્ત શરીર (નિરોગીપણું) આર્થિક સદ્ધરતા અને સારાં સ્વજનો પણ એટલાં જ અનિવાર્ય છે.

    કદાચ આમાંથી અમુક આપણી સાથે ના પણ હોય તો તે મેળવાનો સતત અજંપો આપણને દોડતો રાખે છે. મનની શાંતિ- સમતુલા ખોરવાઈ જાય તે હદે આપણે તેની પાછળ દોડીએ છીએ પણ આ બધું ઐશ્વર્ય હોવા છતાં મોટા ભાગના લોકો અશાંત જણાય છે તો એનો અર્થ એ થયો કે સાચું સુખ અને શાંતિ વસ્તુઓ થકી નથી મળી શક્તાં. લોકો શાંતિની ખોજમાં હિમાલય સુધી દોડી જાય છે પણ જે પોતાના જ હાથમાં છે તેવા મન-હૃદયમાં પહોંચવાનું સરનામું ભૂલી જાય છે. જો મન અને હૈયે શાંતિ સંતોષ ના હોય તો બીજે ક્યાંય તે શોધવું વ્યર્થ છે. અને બધું હોય પણ મન બેચેન હોય તો એ દરેકનું મૂલ્ય ઘટી જાય છે.

    માનવ સ્વભાવનું એક વિચિત્ર પાસું એ પણ છે કે તે તેના જીવનમાં જે કાંઈ અવળું, નાગમતું બને કે દોષનો ટોપલો જે તે સંજોગ કે વ્યક્તિ પર ઢોળી દે છે. પણ બની શકે કે જીવનમાં આવતા દુઃખો થકી અશાંતિનું કારણ પોતે જ હોય. આપણે એ સમજવા મથીએ કે કઈ બાબતોને અનુસરવાથી મનની ખોવાયેલી શાંતિ પાછી મેળવી શકીએ કે પછી વધુ ખોવાતી અટકાવી શકીએ.

    આપણી સતત ચિંતા કરવાની ટેવ પણ મનની શાંતિ ડહોળી નાખે છે. નાવડી પાણીમાં જાય તો વાંધો નથી આવતો પણ પાણી જો નાવડીમાં જાય તો સમસ્યા ઊભી થાય છે. એમ નાનામોટા કારણોસર ચિંતા થવી સ્વાભાવિક છે પણ જગત આખાની ચિંતાનો ચબુતરો માથે લઈને ફરીએ તો સહેવાનું આપણે જ આવે.

    સતત ચિંતા કરવાનું વલણ શક્તિઓને નબળી પાડી દે છે. મન પર આપણી ને લોકોની ચિંતાના જાળાં બાઝેલાં હોય તો આગળનું સાફ જોઈ શકાતું નથી. સાચો નિર્ણય લઈ શકાતો નથી. જે થતું રહે છે તે નસીબ- કર્મ અને સંજોગોને અનુલક્ષીને થવાનું જ છે પછી ચિંતાની ચિતા પર શા માટે ચઢતા રહેવાનું ! બીજું સ્ટેપ કહે છે કે અપેક્ષાઓ મનદુઃખ ઊભું કરનાર મહત્ત્વનું પરિબળ છે. આથી અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ વિચારીને લિમિટ સમજીને જ રાખવી. આ બેઉ ક્યારેય સંપૂર્ણ રીતે પૂરી થાય તેવું બનતું નથી. કેમ કે આ બેઉમાં આપણે ક્યારેય હદ સ્વીકારતાં નથી. વળી આ બેઉની સાથોસાથ લોભ, મોહ અને આર્થિક ગણતરીઓ પણ આપોઆપ આવવા લાગે છે અને તે ના સંતોષાય તો એમાંથી મનદુઃખ અને સંતાપ ઊભા થાય છે. એ મનની શાંતિ હણી લઈને ડિપ્રેશન સુધી લઈ જઈ શકે છે. એટલે અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ એટલી જ રાખવી જેટલી આપણી ક્ષમતા હોય ને પૂરી થવાની હોય તેવી આશા હોય.

    આનાથી બચવા ત્રીજું સ્ટેપ છે તો છોડવાની કળા શીખવાનું. વસ્તુઓનો અને સંબંધોનો બિનજરૂરી મોહ છોડવાનો છે. અહીં કશુંય કાયમી નથી હોતું. ક્યારે શેનો વિયોગ થશે તે નક્કી નથી હોતું. મોહ અને આસક્તિ અંતે પીડાદાયક નીવડે છે. છીનવાઈ જવાનો ડર સતત અજંપો આપે છે.

    આ સાથે જરૂરતો ઘટાડવાની છે. જેથી સંગ્રહવૃત્તિ જન્મે જ નહીં. આપણા શાસ્ત્રોમાં ત્યાગનો મહિમા મોટો ગણાવાયો છે. થોડું મન મોટું રાખી વિશાળ દિલ રાખી જતું કરવાની ભાવના હશે તો છોડવાની વૃત્તિ વધુ બળવત્તર બનશે. લીધા કરતાં દીધાનો આનંદ ઓર જ હોય છે.

    ઈર્ષા, હરીફાઈ, અહં વગેરે પણ મનની શાંતિ હણી લેતાં શક્તિશાળી ત્રાસવાદીઓ સમાન છે. સ્પર્ધાના આ યુગમાં સ્વાભાવિક પણ બીજાઓ કરતાં આગળ નીકળી જવાનું અને જરા હટકે સાબિત થવાનું વલણ વધુ જોવાય છે. કંઈક એવું કરી બતાવીએ જેથી અન્યો કરતાં ચડિયાતા સાબિત થવાય, એવી એક માનસિક્તા સૌને હોય છે. અને એમાંથી જ મનદુઃખો, ઝઘડા, મતભેદ વગેરે સર્જાય છે. ઘર, પરિવાર કે નોકરી- ધંધામાં સ્પર્ધાત્મક વાતાવરણ સર્જાતાં તે સંબંધો પણ બગાડે છે. સાથે મનનો ઉચાટ વધારી દે છે. તમે જેવા છો, જે કાંઈ ખૂબી ખામીઓ છે તેનો સ્વીકાર કરીને ચાલો છો તો સ્પર્ધા- ઈર્ષાનું તત્વ આપોઆપ નીકળી જાય છે. મન જીતાય તો ઘણું બધું જીતાઈ જતું હોય છે.

    ભૂલી જાવ અને માફ કરી દો, એ સૂત્ર મનની શાંતિનો સચોટ ઉપાય ગણાય છે. આનાથી ભુતકાળમાં બનેલી કડવી, દુઃખદ ઘટનાઓનો ભાર ખંખેરવાની તક મળે છે. માફી આપી દેવાથી હૈયાનો ભાર ઉતારવાનો મોકો મળે છે. બીજાને સજા આપવાની સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ નુકસાન પોતાનું જ થતું હોય છે. અને અમુક કડવી વાસ્તવિક્તાઓને સ્વીકારી વર્તમાનમાં જીવવાનો પ્રયાસ મન હળવું રાખે છે.

    આપમેળે બનતી કે જાણ્યે અજાણ્યે થતી અમુક ઘટનાઓને આપણે ટાળી નથી શક્તા અને હૃદયના કોઈક ખૂણે છુપાયેલી વેદના- પીડાઓ આંસુરૂપે વહેવા તત્પર બને છે. એટલે જે કાંઈ બને છે એમાં સારું હોય કે નરસું પણ ઈશ્વરનો કોઈક તો સંકેત કે કુદરતનું પ્રયોજન હશે જ એવું સ્વીકારીને ચાલવાથી વેદના વધુ વસમી નથી બનતી. મન અને હૈયાને આવા બધા જ ભારથી મુક્ત કરતાં શીખવાનું છે. તો જ જીવનમાં બનતી નાની મોટી સુખદ ઘટનાઓ, ખુશીઓને મન ભરીને માણી શકીશું. ઓશો- રજનીશજી કહે છે તેમ દુઃખ સંતાપ ભુલવો અને આનંદનું સર્જન કરવું એ એક કળા છે.

    મોટા ભાગના લોકો આવી પડેલા સંજોગોને મારી મચેડીને પોતાને અનુકૂળ બનાવવામાં મચી પડે છે. અને સંપર્કમાં આવતાં સંબંધોને પણ સહજતાથી સ્વીકારી લેવાના બદલે તેમનો સ્વભાવ પોતાને અનુકૂળ કરવાની મથામણો કરે છે. દરેકમાં એવું કંઈક તો હોય છે જ જે કદી બદલાતું નથી. તો આ હકીકતનો સ્વીકાર કેમ ના કરી લેવો. આપણે આપણો સ્વભાવ કે વર્તન કોઈની મરજી પ્રમાણે બદલવા તૈયાર નથી જ હોતાને ! તો બીજા આપણા માટે બદલાઈ જાય તેવી અપેક્ષા નિરાશા જ આપશે. જે છે તેને સહજભાવે વિશાળ હૃદયે સ્વીકારીને ચાલવું.

    બને તો અથડામણો ટાળવી. કોઈની સાથે ઘર્ષણમાં ઉતરવું અને વાદ-વિવાદથી દૂર જ રહેવું. આ ત્રણેય મનની શાંતિના દુશ્મનો છે. ક્યારે ક્યાંથી વાર કરશે તે કહી ના શકાય. ઘણા લોકો અડવા- કડવા અને જડ સ્વભાવના હોય છે. પરપીડનવૃત્તિ અને તોછડાઈ તેમના સ્વભાવમાં હોય છે. તેઓ જે કાંઈ કરે છે કે બોલે છે તેમાં તેઓ સહજપણે મક્કમ હોય છે. એટલે એવા વ્યક્તિ જોડે નાહકના વાદ-વિવાદમાં પડવું એટલે દીવાલે માથું ભટકાડવું. તેમની માન્યતા તમે બદલી શકવાના તો નથી જ અને તમારી દલીલથી તેમને કશો ફરક પણ પડવાનો નથી પણ એમાં તમે હર્ટ જરૂર થશો. આવા લોકોથી દૂર રહેવું.

    ઉધાર લેવું કે દેવું નહીં. આ અંતે લાભના બદલે ખોટનો સોદો સાબિત થાય છે. આપેલા વાયદા પ્રમાણે પરત વાળી ના શકાય તો સંબંધ બગડે ને મનમાં મંઝવણો ઊભી થાય. કહેવાય નહીં ને રહેવાય પણ નહીં. ચાદર જેટલાં જ પગ લંબાવવાની ટેવ આ વધારાની સમસ્યાથી દૂર રાખશે !

    ઘણા લોકોને પારકી પંચાત ટીકાત્મક વલણ અને નિંદારસથી આનંદ આવતો હોય છે. ફલાણાએ આવું કર્યું કે ના કર્યું વગેરે સારું છે કે વખોડવા લાયક તે આપણે નક્કી કરનારા કોણ ! આપણી ટીકા કે નિંદા જે તે વ્યક્તિનો ઈગો તોડે, તેને હર્ટ કરશે તો તેને ગુસ્સો આવશે. પરિણામે કાં તો તે તમારું અપમાન કરશે અથવા તમારા જ નબળા પાસાનો જાહેરમાં ધજાગરો કરવા મથશે. અર્થાત્ તમારી નિંદા કરશે.

    કોઈને જે કરવું હોય તે તેમનું જીવન છે અને તેમની મરજી છે. આપણને એનાથી કોઈ નુકસાન ના થતું હોય તો શા માટે તેમના વર્તનને વખોડવાનું ! આપણે ત્યાં કહેનારા કહે છે કે મગજ પર બરફ મૂકી દો. દિમાગ ઠુંડુ રાખો. કોઈ પણ વિચલિતકરી દેતી સ્થિતિમાં પણ મન પરનો કાબુ ના ગુમાવો, વગેરે તે યોગ્ય જ છે. સ્થિતિ સમજ્યા વગર ગુસ્સો કરીએ અસંયમ દાખવીએ તેનાથી બનતી વાત તૂટી જાય છે. કોઈ પણ વસ્તુ કરતાં મનની શાંતિને વધુ મહત્ત્વ આપવું.

    મનોચિકિત્સકો અને યોગગુરુઓ એક મહત્ત્વના પાસા પર ભાર મૂકતા હોય છે કે મન અશાંત રહેતું હોય તો પહેલાં જીવનમાં અને મન- સ્વભાવમાંથી નેગેટિવિટીને દૂર કરો. પોઝિટીવ થિંકર બનો. જે નથી જ થવાનું કે મળવાનું તેના વ્યર્થ વલખાં મૂકી દો અને જે તમારા માટે જ સર્જાયેલું છે તેનો લાભ અને આનંદ ઉઠાવતાં શીખો.

    શરૂમાં કહ્યું તેમ શાંતિની શોધમાં બહુ લાંબો પથ નથી કાપવાનો. પણ જે ભીતર બેઠું છે તે મનના જ દ્વાર ખખડાવવાના છે. જીવન છે તો સુખ-દુઃખ તો ચાલ્યાં કરે તેવી સમતા કેળવવાથી આવતી વિપત્તિઓ થકવી નહીં નાખે. કોઈને સુધારતાં પહેલાં જાતને જ સુધારવાની જરૂર હોય છે.

    જિંદગી અનિશ્ચિતતાઓનો એવો દરિયો છે કે ક્યારે, કોણ શું કરશે ને ક્યા સંજોગો ક્યાં લાવી મૂકશે તે કહી શકાતું નથી. એટલે ક્યારેક કોઈ સમસ્યાનો ઉકેલ બાહ્ય જગતમાં ના જડે ત્યારે ભીતરના જગતમાં પ્રવેશ કરવો પડે છે, જે કાંઈ અશાંતિ, દુઃખ, પ્રશ્નોની પીડા તમે ભોગવો છો તેના મૂળ સુધી જવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો પડે છે અને આ બહારની કોઈ વ્યક્તિની મદદથી પાર નહીં પડે. પણ આત્મમંથન અને સ્વચિંતન કરી પીડાનું, મનની અશાંતિનું કેન્દ્રબિંદુ શોધી તેનો ઈલાજ કરવાનો રહે છે. આ માટે જરૂર પડે તો શાંતિ શિબિર, ધ્યાન- પ્રાણાયામ વગેરેનો આધાર ભલે લેવાય પણ મુખ્ય હેતુ કોઈ પણ ભોગે શાંતિની સાધના કરવાનો હોવો ઘટે.

    સાચો ભક્ત

    એકવાર નારદજી ને અભિમાન આવી ગયું કે હું ભગવાન વિષ્ણુની નિરંતર સાધના (ભક્તિ) કરું છું. તેથી મારા થી વિશેષ આ જગતમાં ભગવાન વિષ્ણું નો કોઇ ભક્ત નથી. પરંતુ નારદજી ભગવાન વિષ્ણું ના મુખેથી પોતાના પરમ ભક્ત હોવા વિષેના વખાણ સાંભળવા માંગતા હતા. તેથી તેઓ ભગવાન નારાયણ પાસે જઇને તેમને કહ્યું કે હે પ્રભુ આ દુનીયામાં આપનો સૌથી વિશેષ ભક્ત કોણ છે ? વિષ્ણુ ભગવાન પણ નારદજી નું અભિમાન ઉતારવા માંગતા હતાં. તેમણે નારદજીને કહ્યુ હે નારદ, હું તમને આ પ્રશ્નનો ઉત્તર આપું પરંતુ એ પહેલા તમારે મારું એક કાર્ય પુર્ણ કરવુ પડશે. તેમણે નારદજીને કહ્યુ કે આ એક પાણીથી ભરેલુ પાત્ર છે. તમારે આ પાત્રની હાથમાં રાખીને જગતની પરીક્રમાં કરવી પડશે. પરંતુ આ પાત્રમાં થી એક પણ ટીંપુ પાણી નીચે ના પડે તેનું ધ્યાન રાખવું.

    ભગવાન વિષ્ણુની આજ્ઞા લઇને નારદજી પાણી ભરેલા પાત્ર સાથે જગતની પરીક્રમાં કરી પાછા આવ્યા, ભગવાને નારદજીને કહ્યું કે શું થયું નારદજી ? કરી આવ્યા પ્રદક્ષીણા ? નારદજીએ ઉત્સાહ માં કહ્યું કે પ્રભું આપના કહેવા પ્રમાણે મે એકપણ પાણીનું ટીંપુ ઢોળ્યા વિના પ્રુથ્વીની પ્રદક્ષીણા કરી છે. હવેતો કહો કે આ જગતમાં આપનો પરમ ભક્ત કોણ છે ? ભગવાને નારદજીને કહ્યું કે નારદજી તમે જ્યારે પ્રુથ્વીની પ્રદક્ષીણા કરતા હતા તે વખતે તમે મારું સ્મરણ કેટલી વખત કર્યુ હતું ? નારદજીએ કહ્યું કે એકપણ વખત નહી પ્રભુ હું તો મારું ધ્યાન આ વાડકા ઉપર રાખીને પ્રદક્ષીણા કરતો હતો જેથી એકપણ ટીંપુ ઢોળાય નહી. ભગવાને કહ્યું કે તમે વાડકા ઉપર ધ્યાન હોવાને લીધે મારુ સ્મરણ કરવાનું ભુલી ગયા જ્યારે આ જગતમાં એવા કેટલાય મનુષ્યો છે કે તેઓ સંસારની આ મુશ્કેલીમાં પણ મારુ સ્મરણ કરવાનું ભુલતા નથી. તેથી તેઓ મારા પરમ ભક્ત છે. આ સાંભળી ને નારદજીનું અભીમાન ઉતરી ગયું અને તેમણે ભગવાન નારાયણની માફી માંગી ને પ્રભુના આશીર્વાદ લીધા.

    આમા જે સાચો ભક્ત ગમે તેવી મુશ્કેલીઓમાં પણ પ્રભુમાંથી શ્રધ્ધા અને હીંમત ગુમાવતો નથી.

    સિંદુર લાલ ચઢાયો અચ્છા ગજમુખકો,
    દોંદિલ લાલ વિરાજે સુત  ગૌરીહર  કો
    હાથલીયે ગુડલડ્ડુ સાંઇ સુરવરકો
    મહિમા કહી ના જાય લાગત હું પદકો
    જય જયજી ગણરાજ વિદ્યાસુખદાતા
    ધન્ય તુમ્હારો દર્શન મેરા મનગમતાં.
    અષ્ટસિદ્ધિ દાસી સંકટકો વૈરી
    વિધ્નવિનાશન મંગલ સૂરત અધિકારી
    કોટી સૂરજ પ્રકાશે ઐસી છબી તેરી
    ગંડસ્થલ મદ મસ્તક ઝૂલે શશીબહારી
    ભાવભક્તિ સે કોઇ શરણાગત આવે
    સંતતી સંપત્તિ સબહી ભરપૂર પાવૈ
    એસે તુમ મહારાજ મોકો અતિ ભાવે
    ગોસાવીનંદન નિશદિન ગુણ ગાવૈ.