Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Tuesday 29 August 2017

    ગણપતિ બાપા મોરયા’ શબ્દમાં છૂપાયું છે એક રહસ્ય, જાણી લો તમે પણ

    દેશભરમાં અત્યારે ગણેશોત્સવની ધૂમ છે. ગણેશ ચતુર્થીના દિવસે ભકતો પોત-પોતાના ઘરોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે અને ભક્તિમાં તરબોળ રહે છે. મોટા-મોટા પૂજા પંડાલોમાં ગણપતિનો જયજયકાર સંભળાય છે. અત્યારે તો એક જ અવાજ ‘ગણપતિ બાપા મોરિયા’ પરંતુ શું તમે જાણો છે કે ગણપતિ બાપા મોરિયા કેમ બોલાય છે.
    ગણપતિના જયકારની વાર્તા મહારાષ્ટ્રના ચિંચવાડ ગામ સાથે જોડાયેલ છે. આ ગામમાં એક સંતનો જન્મ થયો હતો જેનું નામ મોરયા ગોસાવી હતું. માનવામાં આવે છે કે ભગવાન ગણેશના આશીર્વાદ બાદ જ મોરયાનો જન્મ થયો હતો. તેઓ જન્મથી જ ભગવાન ગણેશજીની ભક્તિમાં લીન રહેવા લાગ્યા હતા.
    જ્યારે ગણ ગણેશ ચતુર્થી આવતી હતી ત્યારે મોરયા ગોસાવી ચિંચવાડથી કેટલાંય કિલોમીટર ચાલીને મયુરેશ્વર મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરવા જતા હતા. આ સિલસિલો 117 વર્ષ સુધી ચાલ્યો. મોટી ઉંમરના લીધે તેમણે મયુરેશ્વર મંદીર સુધી જવામાં ઘણી તકલીફ પડવા લાગી હતી. ત્યારે એક દિવસ ગણપતિ તેમના સપનામાં આવ્યા.
    મોરયાના સપનામાં ભગવાન ગણેશ જી એ તેમને કહ્યું કે એક મૂર્તિ નદીમાં મળશે. ત્યારબાદ જેવું તેમને સપનોમાં જોયું હતું તેવું જ નદીમાં સ્નાન કર્યા બાદ તેમને ગણેશની મૂર્તિ મળી હતી. લોકોને જ્યારે આ ઘટનાની માહિતી મળી તો લોકો ચિંચવાડ ગામમાં મોરયા ગોસાવીના દર્શન માટે આવવા લાગ્યા.
    ત્યારબાદથી આ સંતના ભક્ત પગે લાગીને તેમણે મોરયા કહેવા લાગ્યા અને સંત મોરયા ભકતોમાં મંગલમૂર્તિના નામથી બોલાવા લાગ્યા. આમ ગણેશોત્સવ દરમ્યાન ગણપતિ બાપા મોરયાનો જયકાર લગાવાની પરંપરા શરૂ થઇ ગઇ.

    આરતી કરતી વખતે દીવો ઓલવાઇ જાય ત્યારે ધ્યાનમાં રાખો આ બાબતો, નહિં તો થશે નુકસાન

    કોઈપણ દેવી દેવતાનુ પૂજન આરતી સાથે પુર્ણ થાય છે. આ કારણે આરતીના સંબંધમાં અનેક નિયમો બતાવાયા છે. શાસ્ત્રો મુજબ આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો અપશકુન માનવામાં આવે છે. આ કારણે આ વાતનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે પૂજા વગેરે કર્મ જ્યા સુધી પુર્ણ ન થાય ત્યાં સુધી દીવો સળગતો રહેવો જોઈએ. અહી જાણો જો પુર્ણ સાવધાની રાખવા છતા પણ જો દીવો ઓલવાઇ જાય તો શું કરવુ જોઈએ..
    • જો કોઈ કારણસર દીવો ઓલવાઇ જાય છે તો એવુ માનવામાં આવે છે કે જે મનોકામના માટે પૂજા કરવામાં આવી રહી છે તેમાં કોઈ બાધા ઉત્પન્ન થઈ શકે છે. સાથે એ પણ સંકેત હોઈ શકે કે તમારા દ્વારા પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય કે કોઈ ભૂલ થઈ ગઈ હોય. તેથી ઈશ્વર પાસે પોતાની ક્ષમા યાચના કરવી જોઈએ.
    • આરતી કરતી વખતે જો દીવો ઓલવાઇ જાય છે તો ભગવાન પાસે ક્ષમા માંગીને ફરીથી દીપક પ્રગટાવીને આરતી કરવી જોઈએ. સાથે જ જે કાર્ય માટે પૂજા કરવામાં આવી રહી છે એ કાર્યને કરતી સમયે પુર્ણ સાવધાની રાખવી જોઈએ. નહી તો સફળતા પ્રાપ્ત કરવી વધુ મુશ્કેલ થઈ શકે છે.
    દીવો તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની વાતો
    આરતી માટે દીવો તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે દીવામાં પુરતુ ઘી કે તેલ હોય. દીવાની જ્યોત જે કપાસમાંથી બનાવવામાં આવે છે એ પણ સારી રીતે બનાવવી જોઈએ. આ સાથે જ પૂજા અર્ચના કરતી વખતે એ ક્ષેત્રમાં પંખો કે કુલર વગેરે પણ ન ચલાવવા જોઈએ કારણકે વધારે હવાથી દીવો ઓલવાઇ જાય છે. પૂજન કાર્યમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો. ભગવાનની આરાધના પહેલા પોતાને પણ પવિત્ર કરી લો.