દુન્યવી ક્ષણભંગુર અને ક્ષુલ્લક ગણાતી ચીજવસ્તુઓ સાધન-સગવડો, સંપત્તિ, સ્વજનો એમ બધાની માયા ત્યાગીને વિરાગી બની જાય તે મહાત્મા ગણાય. જે એકવાર છોડયું તેનો પછી ફરી મોહ ના જાગે તે મહાત્મા.
મિત્રો,તમે નાનપણમાં ઘણી વખત મદારીને વાંદરા ને નચાવતાં જોયો હશે.પહેલા જમાનામાં મદારી આ વાંદરાઓને પકડવાં માટે એક છટકું ગોઠવતાં હતાં તેમાં એક લોટા જેવા પાત્ર માં તે વાંદરાનો ખોરાક મુંકતા હતાં,અને જંગલમાં તેને મોટા વડ જેવાં ઝાડનાં મુંળીયાંની સાથે મજબુત બાંધી દેતા હતાં. વાંદરો જ્યારે આ લોટા જેવા પાત્રમાં ખોરાક ખાવા માટે જ્યારે હાથ નાખતો ત્યારે તે તેમાં મુઠ્ઠી વાળી દેતો હતો. પછી મદારી જ્યારે વાંદરાની નજીક આવીને વાંદરાને પકડી લે છતાંય તે વાંદરો મુંઠ્ઠીમાં રાખેલ ખોરાક છોડતો નહોતો.
આમ જો આપણે જો જીવનરુપી લોટાપાત્રમાં મોહમાયા ને જ્યાંસુધી પકડી રાખીશું તો જમ(મુસીબતો) આપણને ઘેરીજ લેવાના છે.માટે જીવનમાં સંતોષ જેવું કોઇજ સુખ નથી....................................
દિનેશ ગોસ્વામી....................
ઓમ નમો નારાયણાય.................
No comments:
Post a Comment