Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Sunday 27 October 2013

    કેટલીક લાચારી માણસે શીખી લીધેલી હોય છે!


    શીખી લીધેલી લાચારીમાં વ્યક્તિએ ભૂતકાળના નકારાત્મક અનુભવો પરથી લાચારી શીખી લીધી હોય અને તે પણ એ હદ સુધી કે જીવનમાં આગળ વધવાની તક મળે તો તેઓ તેનો પણ અસ્વીકાર કરી દે છે
    પ્રિયાંશ સાતમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે. ગણિત વિષય એ એની સમજ બહારનો હોય, એવું એનું માનવું છે. ગણિતના વિષયનો વર્ગમાં પિરિયડ આવે અને તેના જાણે મોતિયા મરી જાય! ગણિતના નિયમો, સિદ્ધાંતો તેની સમજમાં જ ન આવે. આથી, સ્વાભાવિક રીતે જ ગણિતના વિષયનું પરિણામ ખૂબ ઓછું આવ્યું! તેનાં મમ્મી-પપ્પા તો આકુળ-વ્યાકુળ થઈ ગયાં અને તેનું ગણિતનું ટયુશન શરૂ કરાવડાવી દીધું. તેમ છતાં, પ્રિયાંશને હજુ બરાબર ગતાગમ નહોતી પડતી. ત્યારબાદ ફરી ગણિતનું એ જ પરિણામ અને પ્રિયાંશની હાલત જેમની તેમ! તેમાં કંઈ જ સુધારો ન હતો. આમ થવાથી પ્રિયાંશના આત્મવિશ્વાસ ઉપર ઊંડી અને વિપરીત અસર થઈ. તેના આત્મવિશ્વાસની કમી માત્ર ગણિતના વિષય પૂરતી સીમિત ન રહેતાં બીજા વિષયો ઉપર પણ પડવા માંડી. ભણવામાં તેનો રસ ઊડી ગયો અને તેનું પરિણામ વધારે ને વધારે નબળું થતું ગયું. તે હવે ભણવા જ નહોતો માગતો, ચોપડીઓ ખોલવાની તો વાત જ દૂર રહી, જાણે કે તેણે મનથી પોતાની લાચારી સ્વીકારી લીધી હતી.
    તન્વીની વાત આનાથી કંઈક અલગ હતી. તેણીએ એમબીએ સુધી અભ્યાસ કર્યો હતો અને તેનાં લગ્ન વિશેની ચિંતા તેનાં માતા-પિતાને સતાવતી હતી. તન્વી આ વિષય પર વાત કરવા પણ તૈયાર નહોતી થતી. તેણીએ લગ્ન કરવા માટે ના પાડી દીધી. તેનાં મમ્મી-પપ્પા ચિંતાતુર થઈ ગયાં અને તેમણે એક વાર તન્વીને પાસે બેસાડી પ્રેમથી આ માટેનું કારણ પૂછયું તો તે રડી પડી. વાત એમ હતી કે કોલેજના અભ્યાસ દરમિયાન તન્વી એક છોકરાના પ્રેમમાં હતી. લગભગ છ-આઠ મહિનાના પ્રેમસંબંધ બાદ તે સંબંધ તૂટી ગયો. ત્યારબાદ તેના એક સહકર્મચારી સાથે તેણીને પ્રેમસંબંધ થયો. તે પણ ત્રણેક મહિનાના ટૂંકા સમયમાં જ તૂટી ગયો. આથી, હવે જાણે કે તેણીએ મનથી સ્વીકારી લીધું કે તે લગ્નસંબંધને યોગ્ય નથી. આ મામલામાં-જીવનમાં તેણીએ પોતાની લાચારી સ્વીકારી લીધી હતી અને હવે તે કોઈ પણ સંબંધમાં જોડાવા તૈયાર નહોતી.
    આ બંને કિસ્સામાં જણાય છે કે બે-ત્રણ વખતની નિષ્ફળતાને કારણે વ્યક્તિ પછીથી પોતાની જાતને પણ નિષ્ફળ માનવા લાગે છે અને તે પોતાની લાચારી સ્વીકારી લે છે, જેને 'શીખી લીધેલી લાચારી' (Learned Helplessness) કહેવાય છે. આ એવી અવસ્થા છે કે જેમાં વ્યક્તિ કે પ્રાણીએ લાચારી શીખી લીધી હોય. પોતાના ભૂતકાળના નકારાત્મક અનુભવો પરથી અને તે પણ એ હદ સુધી કે જીવનમાં આગળ વધવાની તક મળે તો તેઓ તેનો પણ અસ્વીકાર કરી દે છે અને અણગમતા થઈ પડેલા સંજોગો, પરિસ્થિતિ, ઘટનાની અવગણના કરવા માંડે છે. આ વિશેની આકસ્મિક શોધ માર્ટિન સેલિગ્મેન અને સ્ટીવન એફ. મેયર નામના બે સાયકોલોજિસ્ટે, પેન્સિલવિનિયાની યુનિ.માં ૧૯૬૭ દરમિયાન કરી હતી.
    તેઓ પાવલોના કન્ડિશનિંગના પ્રયોગો ઉપર વધુ રિસર્ચ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે નોંધ્યું કે, કૂતરાને વારંવાર એક જ જગ્યા પર હળવા કરંટના ઝટકા આપવામાં આવે કે જેમાંથી તે કંઈ પણ કરે તોપણ બચી ન શકે. ત્યારબાદ આ જ કૂતરાને તેઓ બીજા એક રૂમમાં લઈ જતાં અને ત્યાં એવી વ્યવસ્થા હતી કે તે જો નાની એવી દીવાલ કૂદી જાય તો તે આ હળવા કરંટથી બચી શકે, પરંતુ તેના પહેલાંના અનુભવના આધારે તેણે શીખી લીધું હતું કે તે કંઈ પણ કરે તોપણ આ કરંટથી બચી શકે એમ નથી, આથી તે તેની સામે રહેલી તકને પણ બેધ્યાન કરી દે છે અને કૂદતો નથી. તે ત્યાં ને ત્યાં જ ઊભો રહીને કરંટ ખાયા કરે છે. આ વર્તનને તેમણે 'શીખી લીધેલી લાચારી -Learned Helplessness' તરીકે ઓળખાવી હતી. ત્યારબાદ આ પ્રયોગ વારંવાર અલગ-અલગ જગ્યાઓ પર, અલગ-અલગ લોકો પર કરવામાં આવ્યો, જેમાં પણ આ પ્રકારનાં પરિણામો જ મળ્યાં.
    શું આ શીખી લીધેલી લાચારીને આપણી રોજબરોજની જિંદગી સાથે કંઈક સંબંધ છે? ઉપરના જ બે કિસ્સાઓ વિશે વિચારો! સતત મળતી નિષ્ફળતા, નોકરીમાં, અભ્યાસમાં, લગ્ન કે પ્રેમસંબંધોમાં, પોતાના વેપારમાં વ્યક્તિનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે અને પોતાનો આ દરેક ઉપર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી એમ ધીમે ધીમે માનવા લાગે છે. નવો વેપાર, નવો સંબંધ કે નવા અભ્યાસ માટે તક મળતી હોય તોપણ તેને અવગણે છે અને તે કરતા પહેલાં જ પોતાની હાર સ્વીકારી લે છે.
    વ્યક્તિ પોતાના પરથી આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. તેને પોતાના દરેક પ્રયત્નો વ્યર્થ લાગે છે અને પોતાની જાતને નિષ્ફળતા સામે ઘૂંટણિયે પાડી દે છે. આ 'શીખી લીધેલી લાચારીને' ઉદાસી રોગ સાથે સીધો સંબંધ હોવાનું અનેક સર્વેક્ષણોમાં જાણવામાં આવેલ છે અને ચિંતા-સ્ટ્રેસ સાથે પણ! એવું સાબિત થયેલ છે કે લાંબા ગાળાનો સ્ટ્રેસ-ચિંતા છેવટે આ પ્રકારની લાચારીમાં પરિણમે છે અને આ લાચારી ઘણી બધી ગંભીર માનસિક તથા શારીરિક બીમારીને નોતરી શકે છે.
    આવી જ લાચારી ધૂમ્રપાન કરતા કે રોજેરોજ દારૂ પીતા કે નશીલી દવાનું સેવન કરતાંને પણ થતી હશે! ઘણી કોશિશો કરવા છતાં તેઓ ઘણી વાર તેમાંથી છુટકારો નથી મેળવી શકતા. આથી જો કોઈક વાર તેમને એમ થાય કે આ દવા કરવાથી છૂટી જશે પરંતુ તેમની શીખી લીધેલી લાચારી તેમને આ માટેની મદદ લેતાં અટકાવે છે અને પરિણામે તે તેનો વધુ ને વધુ બંધાણી થતો જાય છે.
    શું આમ થતું અટકાવવાનો કોઈ રસ્તો ખરો! વ્યક્તિ આમાંથી બહાર આવી શકે ખરી! પોતાની શીખી લીધેલી લાચારીને ભૂલીને - overcome કરીને આગળ વધી શકે ખરી! તો તેનો જવાબ છે હા! આવા સમયે તમારા મિત્રો, સગાં-સંબંધીઓ, હિતેચ્છુઓની સલાહ લો. તમારા જીવનની હકારાત્મક બાબતો, હકારાત્મક અનુભવો, ખુશી-આનંદની પળોનો વિચાર કરો. મેડિટેશન-યોગ તમને લાભદાયી થઈ શકે છે. વિચારો કે ભલે હમણાં આ લાચારીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ તેમાંથી બહાર નીકળવાની કોશિશો બંધ ન કરો. દરેક પળે નવી તકો જિંદગીમાં આવતી જ હોય છે, આથી આ પરિસ્થિતિનો સ્વીકાર કરી, તેમાંથી બહાર નીકળવાના પ્રયત્નોમાં લાગી જાઓ. નાસીપાસ થયા વગર સતત પ્રયત્નો કરતા જ રહો. એટલે જ કહેવાયું છેને, 'કોશિશ કરનેવાલોં કી હાર નહીં હોતી!'
    સતત પરિશ્રમ કરતા રહો. ત્યારબાદ પણ જો ન બહાર આવી શકો તો મનોચિકિત્સક પાસે જતાં પણ અચકાશો નહીં! આ માટેની દવાઓ ઉપરાંત CBT - સાઇકોથેરાપીની મદદથી પણ તમે આ શીખી લીધેલી લાચારીને ભૂલીને આગળ વધી શકો છો!
    અને હા, છેલ્લી વાત, સતત સફળતા પામતા લોકો 'શીખી લીધેલા વિશ્વાસ'ને આધારે જ આગળ વધતા હોય છે. માણસ ઇચ્છે તો 'કેળવેલી લાચારી'માંથી 'કેળવેલા વિશ્વાસ' તરફ અચૂક જઈ શકે છે.

    No comments:

    Post a Comment