Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Saturday 12 December 2015

    જો રોજ દીવો કરતા હોય તો જાણી લો આ નિયમો

    દીવો એ અગ્નિનું પ્રતીક છે હિંદુધર્મમાં તેનું સવિશેષ મહત્વ છે તેને આત્માના પ્રતીક તરીકે પણ  ગણવામાં આવે છે દીવો કેવી રીતે કરવો જોઈએ તેના કેટલાંક નિયમો છે. દેવતાઓની ઉપસ્થિતિના પ્રતીક તરીકે દરેક ધાર્મિક કે શુભ કાર્યોમાં દીવો કરવામાં આવે છે આ દીવો કેવી રીતે કરવો જોઈએ. તેની કઈ દિશા હોવી જોઈએ. વાંચો આગળ.

    દીવો કરતી વખતે આ મંત્ર બોલવાથી દીપપૂજા કર્યાનું ફળ મળે છે.
    દીપજ્યોતિઃ પરબ્રહ્મઃ દીપજ્યોતિ જનાર્દનઃ ।
    દીપો હરતિમે પાપં સંધ્યાદીપં નમોસ્તુતે   ।।

    શુભં કરોતુ કલ્યાણમારોગ્યં સુખં સમ્પદાં   ।
    દુષ્ટ બુદ્ધિ વિનાશાય દીપોજ્યોતિઃ નમોસ્તુતે ।।

    દીવાની જ્યોત પૂર્વ દિશા તરફ રાખવાથી આયુષ્યની વૃદ્ધિ છે. 
    ધ્યાન રાખો કે દીવાની જ્યોત પશ્રિમ દિશા તરફ રાખવાથી દુઃખ વધે છે.
    દીવાની જ્યોત જો ઉત્તર દિશા તરફ હોય તો તેનાથી ધનલાભ થાય છે.
    દીવાની જ્યોત ક્યારય ન રાખશો દક્ષઇમ દિશા તરફ, તેનાથી થાય છે ધનહાનિ.

     મંદિર બનાવવા માંગતા હોય તો તેણે ઘરની પૂર્વોત્તર દિશામાં મંદિર બનાવડાવવું જોઈએ. 

    ધ્યાન રાખો કે ઘરનું મંદિર અને રસોડુ સાથે એક જ રૂમમાં ન હોય. હોય તો બદલી નાંખો. મંદિરનું સ્થાન પરિવર્તન ઈષ્ટદેવને પ્રસન્ન કરશે. નારાયણ( વિષ્ણુ ભગવાન)ની ઘરમાં પૂજા થતી હોય તો જમીન સંબંધી લાભ મળશે. શિવની પૂજા થતી હોય તો કલ્યાણ થશે. દેવીમા અંબાજીની પૂજા થતી હોય ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. લક્ષ્મીની પૂજા થતી હોય તો ધન લાભ. સૂર્ય અને ગાયત્રીની પૂજા થતી હોય યશ અને કિર્તી મળશે. ગણેશજીની પૂજા થતી હોય તો આર્થિક -સામાજિક સુખ શાંતિ મળે. હનુમાનજીની પૂજા થતી હોય તો સેવકનું સુખ મળે. જો પંચદેવ(શિવ, શક્તિ, ગાયત્રી કે સૂર્ય, ગણેશજી, હનુમાનજી)ની પૂજા થતી હોય તો સર્વ સુખ મળે છે. ભૌતિક સંપત્તિમાં સવિશેષ વધારો ઈચ્છતા હોય તો પંચદેવની સાથે સાથે વિષ્ણુ- લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ.

    Saturday 5 December 2015

    જાણો છો શરીરમાંથી આત્મા જતી હોય ત્યારે શા માટે કરવો જોઈએ દીવો

    દુનિયાના દરેક ધર્મમાં શાંતિપૂર્ણ મૃત્યુની કામના કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મૃત્યુ પરમ ઈચ્છનિય છે. તે ઈશ્વરના આશીર્વાદ સમાન ગણાય છે. આમછતાં એ વાસ્તવિકતા છે કે જ્યારે જીવાત્મા પૃથ્વી પર આવે છે ત્યારે અને તે જ્યારે પૃથ્વી પરથી જાય છે ત્યારે વ્યક્તિને પોતે અસહ્ય વેદના સહન કરવી પડે છે. આમછતાં હિંદુ શાસ્ત્રમાં કેટલાંક ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જે કરવાથી મૃત્યુ વખતે વ્યક્તિ ઓછી પીડા કે વેદના ભોગવે છે. આવો જ એક ઉપાય છે દીવો. 

    જે વ્યક્તિ મૃત્યુની નજીક પહોંચી ગયો હોય અને તેનું ગણતરીની પળોમાં મૃત્યુ નિશ્રિત જ હોય ત્યારે હિંદુ ધર્મ પ્રમાણે અંતકાળે એક શુદ્ધ ધીનો દીવો કરવામાં આવે છે. આ દીવો શક્ય હોય ત્યાં સુધી મૃત પામતી વ્યક્તિની આસપાસ જ  કરવામાં આવે છે. આ પાછળ એક મોટું કારણ છે. ઘીના દીવાથી એક ખાસ આભામંડળ બને છે. તેના લીધે મૃત્યુ પછીની અસ્થિરતા અને બેચેની કેટલાંક અંશે ઓછી થાય છે. એટલું જ નહિં જ્યારે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે ત્યારે તે દીવો આત્માને રાહ બતાવવાનું કાર્ય કરે છે. મૃત્યુ પછી ભયંકર અંધકાર ભરી ગતિ મળી હોય તોય આ દીવો તેને પ્રકાશ આપે છે. જો શક્ય હોય તો મૃત વ્યક્તિ પાસે કોઈ ધર્મ કે જેમાં તે વિશેષ રૂચિ રાખતો હોય તેની કેસેટ કે સીડી મુકીને વગાડવાથી પણ આસપાસનું વાતાવરણ ઘણી હદ સુધી પવિત્ર બને છે. આથી મૃત પામનાર વ્યક્તિ ઓછી પીડા ભોગવે છે. 

    એવું કહેવાય છે કે મૃત વ્યક્તિ પાછળ 13-14 દિવસ દીવો કરવો જોઈએ. કેટલાંક કુંટુંબોમાં જ્યાં સાથરો તાણ્યો હોય ત્યાં જ આ દિવસો સુધી દીવો કરીને સંધ્યા પૂજા -ભજનો કરવામાં આવે છે. કેટલાંક કુંટુંબોમાં મૃત્યુ પછી એક ચોક્કસ દિવસે દીવાની 365 વાટો કરીને મંદિરે જઈ પ્રગટાવવામાં આવે છે. આ પાછળ પણ હેતુ એ જ છે કે મૃત વ્યક્તિને માત્ર એક દિવસ જ નહિ પણ 365 દિવસ તેજ મળતું રહે. મોટે ભાગે આ સમયગાળા દરમિયાન વ્યક્તિનો પુનઃજન્મ થઈ જતો હોય છે. દીવો અને મંત્રોચ્ચાર કે પૂજાપાઠ 13 થી 14 દિવસ કરવા પાછળ હિંદુ ધર્મ એવું માને છે કે વ્યક્તિ ભલે મેડિકલ ભાષામાં હૈયાત ન હોય પણ 13 થી 14 દિવસ વ્યક્તિ, પોતાના સુક્ષ્મ શરીરે પોતાના કુંટુબીજનોની આસપાસ રહે છે. અને તે  લોકો તેની પાછળ જે કાંઈ કરે તેને તે પ્રાપ્ત કરે છે. મૃત વ્યક્તિ તેને જે કંઈ યોનિ મળી હોય તેમાં તે 13 કે 14 દિવસે પ્રવેશ કરે છે. ત્યાં સુધી તે બીજી દૂનિયામાં જતો નથી. 

    આથી જ કેટલાં કુટુંબોમાં મૃત્યુ પામનાર વ્યક્તિની વસ્તુઓને તેના મૃત્યુ પછી બે - ત્રણ દિવસમાંજ દાન -ધર્માદો કે લાગતાવળગતા અલગ અલગ લોકોને આપી વેરવિખેર કરી દેવામાં આવે છે. જેથી મૃતકનો આત્મા એ ચીજોમાં રહે નહિં. 

    હિંદુ ધર્મમાં આથી જ બારમું -તેરમું જેવી વિધિઓ કરવામાં આવે છે. આપણા માંથી કેટલાંક આ વિધિ હવે નથી કરતા. તો કેટલાંક કરે છે પણ એક રિવાજ માની ને કરે છે. તેની પાછળનું ચોક્કસ જ્ઞાન છે પણ આજે આ જ્ઞાન ધરાવતા માણસો પણ રહ્યા નથી. જ્ઞાની માણસો આ પાછળની વિધિ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવામાં સક્ષમ હોય છે. વ્યક્તિ ગમે તેવી સ્થિતિમાં જીવ્યો હોય કે મર્યો હોય પણ તેની ઉર્ધ્વગતિ કરાવી શકે છે. આજે વિદ્વાન લોકો નથી એવું નથી પણ તે બહું જ ઓછા બચ્યા છે તેને શોધવા પડે. મોટાભાગના લોકો આજીવિકા માટે મૃત્યુ પછીની વિધિ કરાવતી હોય છે પણ તેનું સચોટ જ્ઞાન ધરાવતી હોતી નથી.

    શિવજી પાસે ક્યાંથી આવ્યા નાગ, ડમરુ, ત્રિશૂળ, ત્રિપુંડ અને નંદી જાણો છો

    ભગવાન શિવનું નામ લેતા જ એક છબિ માનસપટ પર ઉભરી આવે છે. એક વૈરાગી પુરુષ કે જેના હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં ડમરું, ગળામાં સર્પ માળા, કપાળે ત્રિપુંડ, અને પાસે નંદી. સાથે જ માથામાંથી ગંગધારા વહેતી હોય અને અર્ધચંદ્ર શોભાયમાન હોય. શિવ સાથે આ 7 વસ્તુઓ આદિકાળથી જોડાયેલી છે.

    ભારતમાં જ માત્ર નહિં, દુનિયાભરમાં શિવજીની જે છબી છે તે આ પ્રમાણે છે. તેમની સાથે 7 ચીજો જરૂર જોવા મળે છે. ચાલો જાણી લઈએ શિવજી સાથે આ 7 વસ્તુઓ કેવી રીતે ધરાવે છે સંબંધ. શુંતે શિવ સાથે જ પ્રગટ થઈ છે કે પછી તેમની સાથે જોડાતી ગઈ...

    ભગવાન શિવ તમામ પ્રકારના શસ્ત્ર-અસ્તના જ્ઞાતા છે પણ પૌરાણિક કથાઓ અનુસાર ધનુષ્ય અને ખાસ કરીને ત્રિશૂળ તેમના મુખ્ય શસ્ત્ર છે. ત્રિપુરાસુરના વધમાં તેમજ અર્જુનના માનભંગમાં તેમણે પોતાની ધનુર્વિદ્યાનું પ્રદર્શન કર્યું હતું તો તેમણે અનેકોવાર પોતાના ત્રિશૂળનો ઉપયોગ કર્યો છે.

    શંખચૂરના વધ માટે શિવજીએ ત્રિશૂળનો ઉપયોગ કર્યો હતો. તેમણે ગણેશજીનું માથુ પણ ત્રિશૂળથી ઉડાવી દીધું હતું. વરાહ અવતારમાં મોહની જાળમાં ફસાયેલા વિષ્ણુનો મોહભંગ કરીને વૈકુંઠમાં જવા માટે વિવશ કરવા પણ શિવજીએ ત્રિશૂળનો ઉપયોગ કર્યો હતો.

    ભગવાન શિવજી પાસે રહેલા ધનુષ્ય વિશે કથા છે કે તેની શોધ સ્વયં શિવજીએ કરી હતી. પરંતુ ત્રિશૂળ તેમની પાસે ક્યાંથી આવ્યું તે વિશે કોઈ કથા નથી. ત્રિશૂળ એ શક્તિનું પ્રતિક ગણાય છે. કોઈ માને છે તેમની ઉત્પતિ સાથે જ ત્રિશૂળ તેમની પાસે આવ્યું તો કોઈ કહે છે કે તેમણે શાક્ત્ય ઉપાસના કરીને મેળવ્યું. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિની ઉત્પતિ માટે બ્રહ્મનાદ થયો ત્યારે શિવ પ્રગટ થયા તેમની સાથે જ સત, રજ અને તમ ગુણો ઉત્પન્ન થયા. આ ત્રણ ગુણોનું પ્રતિક છે ત્રિશૂળ. તે તેમની ઉત્પતિ સાથે જ અસ્તિત્વ ધરાવે છે.

    ભગવાન શિવ ઔલોકિક છે. ભલે તેમને સૃષ્ટિના સંહારક માનવામાં આવતા હોય પણ સૃષ્ટિમાં જીવન રસો ભરનારા પણ તે જ છે. શિવનું નટરાજ રૂપ, તેમનું વાદ્યયંત્ર ડમરું એ સંગીત અને નૃત્યકળાના જનક છે. શિવનું એક સ્વરૂપ પરમ વૈરાગી છે તો બીજુ સ્વરૂપ ભોગીનું છે. તે જીવન રસોનો પ્રણેતા છે તે ડમરું દર્શાવે છે.

    ભગવાન શિવ પાસે ડમરું ક્યાંથી આવ્યું તેની કથા ઘણીજ રોચક છે. સૃષ્ટિના આરંભમાં જ્યારે સરસ્વતિ દેવી ઉત્પન્ન થયા ત્યારે તેમણે વીણાના સ્વરોથી સૃષ્ટિમાં ધ્વનિને જન્મ આપ્યો. પણ તે ધ્વનિ સૂર અને સંગીતથી વિહીન હતી. તે સમયે ભગવાન શિવે આંતરમગ્ન થઈને ડમરુ વગાડતા વગાડતા 14 સૂરો રેલાવ્યા તેમાંથી સાત સૂરોના આરોહ અવરોહ બન્યા તેમજ ધન્દ, તાલનો જન્મ થયો. કહેવાય છે કે ડમરું એ બ્રહ્મ સ્વરૂપ છે. તેમણે તે સંગીત સાથે નૃત્ય કરતા કરતા પ્રકૃતિને સમતોલ કરવા શિવ ડમરું સાથે પ્રગટ થયા હતા.

    શિવજીના ગળામાં હમેંશા નાગરાજ વાસુકી વિંટળાયેલો હોય છે.  વાસુકીનો નાગલોક પર કબ્જો છે આધિપત્ય છે. દેવ-દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યુ ત્યારે રસ્સી તરીકે તેનો ઉપયોગ કર્યો હતો.

    કહેવાય છે કે વાસુકી શિવજીનો પરમ ભક્ત છે. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને નાગલોકનો રાજા બનાવ્યો છે. તેમજ પોતના આભુષણ તરીકે પણ હમેંશા લપટાયેલો રાખે છે.

    નંદી વિશે પુરાણોમાં કહેવાયું છે કે નંદી એ વાસ્તવમાં શિવ જ છે. શિવનો પ્રથમ અવતાર છે નંદી. આ વિશે એક કથા છે. શિલાદ નામના ઋષિ મોહમાયાથી મુક્ત થઈને તપસ્યામાં લીન થઈ ગયા હતા. તેમના પૂર્વજો તેમજ પિતૃઓને ચિંતા થઈ કે શિલાદનો વંશ સમાપ્ત થઈ જશે. પિતૃઓની સલાહને અનુસરીને શિલાદે શિવજીની તપસ્યા કરીને એક અમર પુત્ર પ્રાપ્ત કરવાનું વરદાન મેળવ્યું તે પછી પાછળથી નંદી તરીકે ઓળખાયો. તે શિવનો અંશ હોવાથી હમેંશા શિવજીની સાથે રહેવા ઈચ્છતો હતો. તેણે શિવજીની તપસ્યા કરી. શિવના ગણમાં મોખરાનું સ્થાન મેળવી તેમના વાહન બનવાનું સૌભાગ્ય મેળવ્યું. શિવ એજ નંદી અને નંદી એજ શિવ છે. તેનું પ્રમાણ રુદ્રીમાં મળે છે. અષ્ટાધ્યાયી રુદ્રીમાં શિવજીની જે મુખ્ય પૂજા છે તે પુરુષ સુક્ત છે. તેમાં આ નંદીને વર્ણવાયેલો છે. નંદીને વૃષભ તરીકે પણ ઓળખવામાં આવે છે.

    શિવજીએ ચંદ્રમાં ધારણ કર્યો તે વિશેની કથા પણ ઘણીજ રોચક છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે ચંદ્રમાએ દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ ( સતીની બહેનો )સાથે લગ્ન કર્યા હતા. આમછતાં ચંદ્રમાં રોહિણીને વિશેષ પ્રેમ કરતા હતા. તેની ફરિયાદ જ્યારે કન્યાઓએ તેમના પિતા દક્ષને કરી ત્યારે દક્ષ પ્રજાપતિએ ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપી દીધો. આ શ્રાપથી ચંદ્રમાંનું શરીર ગળવા લાગ્યું. તેણે શિવજીની ઉપાસના કરી પ્રાણ બચાવવા વિનંતી કરી. ત્યારે શિવે તેની ભક્તિથી પ્રસન્ન થઈને જીવતદાન આપ્યું સાથોસાથ પોતાના મસ્તિષ્કની શોભા બનાવી. જ્યાં ચંદ્રમાએ શિવજી તપસ્યા કરી હતી તે સ્થાન આજે સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ તરીકે વિખ્યાત છે.

    ભગવાન શિવજીના માથા પર ભભૂતિ( રાખ)થી બનેલી ત્રણ રેખાઓ છે. એવું માનવામાં આવે છે કે આ રેખાઓ એ ત્રણ લોકનું પ્રતિક છે. શિવજીના કપાળે આ ભભૂત રેખાઓ ક્યાંથી આવી તે વિશે એક કથા છે.

    દક્ષ પ્રજાપતિએ યોજેલા યજ્ઞકુંડમાં જ્યારે સતીએ આત્મદાહ કર્યો ત્યારે શિવજી અતિ ઉગ્રરૂપમાં આવી ગયા. તેમણે સતીનું શરીર ખભા પર ઉંચકી લીધું અને ત્રિલોકમાં ઘુમવા લાગ્યા. ત્યારે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર વડે તે મૃતશરીરના 51 ટૂકડા કરી નાંખ્યા. સતીને શોધતા ભગવાન શિવે યજ્ઞકુંડની ભભૂતિ જેમાં સતી બળી મર્યા હતા તેને કપાળે લગાવી. આમ ત્રિપુંડની રચના થઈ. તે સતીની યાદ તેમના મન હૃદયમાં હમેંશ માટે છે તે દર્શાવવા તેમણે ત્રિપુંડને કપાળએ સ્થાન આપ્યું.

    જ્યારે ગંગા વિશે કહેવાય છે કે ઘણી જ મનમોજી હતી. તે સ્વર્ગમાં વહેતી હતી. જ્યારે એક દિવસ દુર્વાસા ઋષિ તેમાં સ્નાન કરવા ગયા ત્યારે તેમના વસ્ત્રો ઉડી ગયા. તેથી ગંગા હસી પડી. ક્રોધી દુર્વાસાએ ગંગાને શ્રાપ આપી દીધો કે તું પૃથ્વી પર જશે અને પાપીઓ તારામાં પોતાના પાપ ધોશે.

    દરમિયાન ભગીરથ રાજાના 100 પૂર્વજો મૃત્યું પામ્યા હતા. તેઓએ તેમના પૂનઃજીવન માટે તપસ્યા કરી. ત્યારે જાણવા મળ્યું કે જો ગંગાનું પૃથ્વી પર અવતરણ થાય તો તેના પાણીનો છંટકાવ મત શરીરો પર કરવામાં આવે તો તે પુનઃજીવિત થાય. ભગીરથ રાજાએ તપ કર્યું અને પ્રચંડ ગંગાને પૃથ્વી પર અવતરણ સમયે ઝીલી લેવા શિવજીને મનાવી લીધા. ગંગા શિવજીની પાસે રહેવા ઈચ્છતિ હોવાથી તેણે અતિ પ્રચંડરૂપ ધારણ કરી લીધું હતું. પણ આખરે શિવજીએ તેને પોતાની જટામાં સમાવી લઈ પછી સહસ્ત્રધારાઓના રૂપમાં પૃથ્વી પર વહાવી. આમ ગંગા શિવજીની જટામાં સામેલ થઈ.

    પ્રેરણા અને પ્રોત્સાહન

    એક નાનો બાળક નિયમિત શાળાએ જતો પણ અભ્યાસમાં નબળો હતો. શિક્ષકો એને સમજાવવાનો પ્રયાસ કરે પણ આ બાળક સમજવાને બદલે જાત જાતના સવાલો કરે. શિક્ષકો પણ આ વિદ્યાર્થીથી ખુબ કંટાળ્યા હતા.
    એકદિવસ આ વિદ્યાર્થીના વર્ગશિક્ષકે એની મમ્મી ઉપર એક ચીઠ્ઠી લખીને કવરમાં પેક ઘરે મોકલાવી. વિદ્યાર્થી આ ચીઠ્ઠી લઇને ઘરે આવ્યો અને મમ્મીને ચીઠ્ઠી આપી. ચીઠ્ઠીમાં શિક્ષકે શું લખ્યુ છે એની વિદ્યાર્થીને કંઇ જ ખબર નહોતી આથી એને જાણવાની તાલાવેલી હતી. એણે મમ્મીને ચીઠ્ઠીમાં શું લખ્યું છે એ જોવા માટે વિનંતી કરી.
    છોકરાની મમ્મીએ ચીઠ્ઠી ખોલી અને વાંચી. ચીઠ્ઠીમાં લખ્યુ હતુ ' આપનો દિકરો ગધેડો છે. એને કંઇ જ ખબર પડતી નથી. એને આ શાળામાંથી ઉઠાડી લો અને તમારી ઘરે જ રાખો ' દિકરા વિષે આવુ લખાણ વાંચીને માને ખુબ દુ:ખ થયુ. દિકરાએ પુછ્યુ, " મમ્મી શું લખ્યું છે મારા શિક્ષકે ? " મમ્મીએ એના દિકરાના માથા પર વહાલથી હાથ ફેરવતા કહ્યુ, " બેટા, તારા શિક્ષકે લખ્યુ છે કે તું ખુબ હોશીયાર છે અને તને કોઇ વધુ સારી શાળામાં અભ્યાસ માટે મુકવો જોઇએ."
    છોકરાને મમ્મીની વાત સાંભળીને પોતાની જાત પર ગૌરવ થયુ. આ છોકરાને શાળામાંથી ઉઠાડીને બીજી શાળામાં બેસાડવામાં આવ્યો. મમ્મી ઘરે રોજ બાળકને પ્રોત્સાહન આપે અને મોટા-મોટા સપનાઓ બતાવે. બાળકની પ્રતિભા ધીમે ધીમે ખીલવા લાગી અને બીજા બધા વિદ્યાર્થીઓ કરતા એ જુદો પડવા લાગ્યો.
    આ બાળક એટલે જેણે વિજળીના ગોળાની શોધ કરીને આપણને સૌને અંધારીયા યુગમાંથી મુક્તિ અપાવી એ મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસન. દુનિયામાં સૌથી વધુ વૈજ્ઞાનિક શોધો આ એડીસનના નામે નોંધાયેલી છે.
    મિત્રો, બાળકોને હતોત્સાહિત કરવાને બદલે જો એને પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવે તો એનું પરિણામ હંમેશા જુદુ જ મળતું હોય છે. સંતાનોને ઉતારી પાડવાને બદલે એની ક્ષમતાઓને ખીલવવા માટેનો પ્રયાસ કરવો જોઇએ.